ભુજ – વર્ધમાનનગર, જૈન સંઘોમાં ચાર્તુમાસ નક્કી થયા

ભુજ નજીક આવેલા જૈનોનાં વર્ધમાનનગર મધ્યે પ.પૂ. આ.ભ. શ્રી કવિન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા-૨ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી.

ભુજ અચલગચ્છ જૈન સંઘમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા-૯ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી.

અચલગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુંબઇથી આ બંન ચાતુર્માસની આજ્ઞા આપી શુભ મંગલ ભાવના પાઠવી હતી.

ભુજ અચલગચ્છ જૈન સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, વર્ધમાનનગર જિનાલય ટ્રસ્ટ તથા ભુજ અચલગચ્છ જૈન સંઘ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ ડી. શાહ, પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઇ છેડા, વર્ધમાનનગરનાં અગ્રણી શ્રી ચિંતલભાઇ વોરાનાં માર્ગદર્શન હેઠળ ૭૨ જિનાલય તિર્થે શ્રી ભરતભાઇ બી. શાહ, શ્રી પી.સી. શાહ, શ્રી ભરતભાઇ સી. શાહ, દિપકભાઇ લાલન, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા જય બોલાવતી વખતે ઉપસ્થિત રહ્યા હતા.