ભુજથી પાલારા માર્ગે સનદાદા રોડનાં ખૂણે સિમેન્ટની તકતી પાછળની ઝાડીમાંથી એક ચાર માસની જીવીત બાળકી મળી આવી હતી.
દરરોજ સવાર-સાંજ પાલારા શ્રી રામદેવ સેવાશ્રમ જઇ રહેલા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા વાહન ચાલક ઇરફાન લાખાએ વાહનમાંથી સનદાદા માર્ગે ખૂણામાં ઝાડી નીચે કપડું ઉડતું જાયું અને કોઇક બાળક રડતું હોય તેવો અવાજ સાંભળી તુરત જ ગાડી રોકી હતી. ઝાડી હટાવતાં નીચે કપડામાં વિંટડાયેલ રડતી બાળકી જાતાં જ તેને બહાર કાઢી રડતી બાળકીને ઉંચકી લીધી હતી. બાળકી ૪ મહિનાંની સ્વસ્થ જણાતી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બાળકી કોણ, કયારે અને કેમ તેને ત્યજવામાં આવી એ જાણી શકાયું નથી. પણ બાળકી જીવીત છે અને બચી જવા પામી છે.માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, ગુલાબ મોતા સહભાગી બન્યા હતા.