ભુજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું સંસ્થાને અનુદાન અપાયું

ભુજ જૈન જાગૃતિ સેન્ટરે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ ની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.

ભુજ જૈન જાગૃતિ સેન્ટરનાં પ્રમુખ ધર્મેશ દોશી, મંત્રી કેતન મોરબીયા, હિતેશ શાહ, પરેશ શેઠ, સંજય મોરબીયા, ભાવેશ શાહ, કલ્પેશ મોરબીયા, મિતેશ લોદરીયા, સતીષ ગાંધી, દીનેશ મહેતા, તરફથી સંસ્થાને 11 હજારનું
અનુદાન અપાયું હતું. સંસ્થા દ્વારા સેન્ટર અધ્યક્ષ ધર્મેશ દોશીનું માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવરે સાલ ઓઢાળી સન્માન કરેલ. સેન્ટરનાં ભાઇ-બહેનોએ વિશાળ સંખ્યામાં માનવજ્યોત આશ્રમની મુલાકાત લઇ માનસિક
દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી.