ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા રાજસ્થાન તિર્થોની યાત્રા યોજાઇ

ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.સા. શ્રી કિર્તીલતાશ્રીજી મ.સા.નાં શુભ આશિર્વાદથી કટારીયાજી, રાધનપુર, ભીલડીયાજી, વરમાડ, જીરાવલા, દંતાણી-પાવાપુરી, ભેરૂતારક, ઝાલોર, જહાજમંદિર, નાકોડાજી તથા બાડમેર, જેસલમેર, લોધરવા, પાર્શ્વનાથ, ભીલમાલ તીર્થોની યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી પી.સી. શાહ, ભરત બી. શાહ, હર્ષદ બી. શાહ, ભરત સી. શાહ, રમેશ એમ. શાહ, દીપક એન. શાહ, તેજ એચ. શાહ, રાજુ સી. શાહ, મનુ પી. શાહ, બાલચંદ સી. શાહ, જગુભાઇ ચંદ્રકાન્ત શાહ, છાયાબેન, નીશાબેન, હીનાબેન, ભાવનાબેન, દીનાબેન, ગુણીબેન તથા શ્રાવક-શ્રાવિકાઓ સંઘમાં જાડાયા હતા.
પ્રારંભે સંઘ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ શાહનું સાલ,નાળિયેર,ફુલહારથી ટ્રસ્ટી શ્રી વોરા જખુભાઇ ખેતશીંએ સન્માન કરી મંગલમય યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અને સંઘ પૂજન કર્યું હતું.