Author Archives: Admin Manavjyot

૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ વિતરણ કરાયા

માનવજ્યોત ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ, તથા ૨૦૦૦ જરૂરતમંદ શ્રમજીવીકોને તેમનાં ઝુંપડા-ભૂંગા સુધી જઇ હાથો હાથ કપડા વિતરણ કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાષી, રફીક બાવા, જેરામ સુતાર, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, દિલીપ સાયલા […]

44 માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો અર્પણ કરાયા

શ્રી સ્વ. રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં 44 માનસિક દિવ્યાંગોને દિપાવલી પર્વ નિમિત્તે નવા વસ્ત્રો અર્પણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શ્રી વસંતલાલ અજાણી, અનીલભાઇ અજાણી તથા શિવશંકરભાઇ નાકરનું સન્માન કરી ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]

મળી આવેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું

સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર તથા માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને માધાપર માર્ગ ઉપરથી એક અજાણી પ્રેગનેટ મહિલા મળી આવતાં તેની પૂછતાછ હાથ ધરી હતી. આ મહિલા કલક્તા અને મદ્રાસ બે શહેરોનાં નામ જણાવતી હતી. જેથી સંસ્થાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં નીરૂપા બારડ અને રીટાબેન અસારીએ કાઉન્સીલીંગ કર્યું […]

માનસિક દિવ્યાંગ સ્વસ્થ બનતાં તેને ઘર સુધી પહોંચાડાયો માતા-પુત્રનું છ મહિને થયું મિલન

ગુજરાતનાં પાટણ નજીકનાં રામનગર ગામનો યુવાન વિષ્ણુભાઇ ઉમેદભાઇ લીંબાચીયા ઉ.વ. ૪૪ છ મહિનાં પહેલા ગુમ થતાં તેની માતા ચિંતાતુર બની હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ આવી ચડી આવ્યો હતો. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને જુનાં એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મોકલવામાં આવ્યો હતો. […]

મૂંગા યુવાનની આંગળીમાં ચામડી નીચે દટાયેલી વીંટી કઢાવી, પીડામાંથી મુક્ત કરાવાયો

માનવજ્યોત સંસ્થા ભુજને એક ૩૦ વર્ષિય મૂંગો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનની આંગળીમાં ગંભીર ઇજા જણાતા, એને ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો. એક ઇંચની આંગળી ૩ ઇંચ પહોળી થઇ ગઇ હતી. અને ચામડીની અંદર વીંટી દટાઇ ગયેલી જાેવા મળી હતી. સોજાનાંં કારણે આંગળી ત્રણ ઇંચ પહોળી બની ગઇ હતી. આ મૂંગો યુવાન કોઇને […]

ગુમ થયેલો યુવાન અઢી વર્ષે મળ્યો દશેરા પર્વે પરિવાર સાથે થયું મિલન

ગુજરાતનાં પંચમહાલ જીલ્લાનાં ગોધરા નજીકનાં ગોઠડા ગામનો ૩૦ વર્ષિય યુવાન નરેશ ભીમાભાઇ બારીયા અઢી વર્ષ પહેલાં ગુમ થયો હતો. રઝળતો-ભટકો તે અનેક રાજ્યો અને શહેરોમાંથી થઇ દશ દિવસ પહેલાં ભુજ પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને તે ભુજ-ખાવડા માર્ગ ઉપરથી મળ્યો હતો. તેની પાસેથી માહિતી મેળવી તેનું ઘર અને પરિવાર […]

નવરાત્રી પર્વે માનસિક દિવ્યાંગો રાસ-ગરબા રમી નાચી-ઝુમી ઉઠયા હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત, પાલારા-કચ્છ મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમનાં ૩૮ માનસિક દિવ્યાંગો નવરાત્રી પર્વે મા જગદંબાની સમૂહમાં આરતી ઉતારી રાસ-ગરબા લઇ નાચી-ઝુમી ઉઠઆ હતા. નવા વસ્ત્રોમાં સજ્જ થઇ માતાજીની ભાવપૂર્વક ભક્તિ કરી હતી. આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં સતત બે કલાક સુધી રાસ રમ્યા હતા. જે જાવા લોકો પણ થંભી ગયા હતા. પ્રારંભે સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર […]

ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા રાજસ્થાન તિર્થોની યાત્રા યોજાઇ

ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.સા. શ્રી કિર્તીલતાશ્રીજી મ.સા.નાં શુભ આશિર્વાદથી કટારીયાજી, રાધનપુર, ભીલડીયાજી, વરમાડ, જીરાવલા, દંતાણી-પાવાપુરી, ભેરૂતારક, ઝાલોર, જહાજમંદિર, નાકોડાજી તથા બાડમેર, જેસલમેર, લોધરવા, પાર્શ્વનાથ, ભીલમાલ તીર્થોની યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પી.સી. શાહ, ભરત બી. શાહ, હર્ષદ બી. શાહ, ભરત સી. શાહ, રમેશ એમ. […]

અકસ્માતનો ભોગ બનેલા યુવાનને ટ્રાયસિકલ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા ભચાઉનાં સોમાભાઇ જે. આદિવાસીને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કર્યા હતા. પત્ની ચાલી ગયા પછી ત્રણે બાળકો પણ અકસ્માત સમયે રીક્ષામાં હતા. જે નાના બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે સોમાભાઇને છ મહિનાનું પગે ફેકચર આવ્યું હતું. ૧૦ મહિના પછી આવી પરિસ્થિતિમાંથી તેને બહાર લાવવા માનવજ્યોત સંસ્થા […]