Author Archives: Admin Manavjyot

૪ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી મહેતા મોહનલાલ ભગવાનજી પરિવાર હસ્તે રમાબેન સીરીશ મહેતા દ્વારા ૩ તથા રશ્મીબેન અનીલ મહેતા વર્ધમાનનગર-કચ્છ દ્વારા ૧ મળી ૪ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરવાનો કાર્યક્રમ વર્ધમાનનગરનાં આગેવાન શ્રી કે.સી. શાહનાં અધ્યક્ષપદે તથા નગર સેવક માલશીં નામોરી, હોમીયોપેથી ડો. પ્રતીક્ષાબેન પવાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, મુળજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર,રસીકભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, […]

સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિ ઉજવાઇ ધારાસભ્યશ્રીએ સ્વ હસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા વિસ્તારનાં આગેવાન શ્રી જુવાનસિંહજી હમીરજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનાં સહકારથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. આ પ્રસંગે ઉપÂસ્થત અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ સ્વહસ્તે શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ધારાસભ્યશ્રીએ પોતાનાં સ્વજન સ્વ. ઠાકોરસાહેબ શ્રી મહિપતસિંહજી કેશરિસિંહજી […]

પશ્ચિમ બંગાળનાં વૃદ્ધનું ૧ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

પશ્ચિમ બંગાળનાં કાલીયાગંજ વિસ્તારનો મંગરૂપ્રસાદ માધુપ્રસાદ ઉ.વ. ૬૫ એક વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે ભુજથી કચ્છનાં ગામડાઓ સુધી પહોંચ્યો હતો. જાગૃત નાગરિકોએ તેને માનવજ્યોત કાર્યાલય ભુજ સુધી પહોંચાડ્યો હતો. સિનિયર પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે […]

વિધવા મહિલાઓને સિલાઇ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી અમૃતબેન ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર વાલાનાં સહયોગથી ૩ વિધવા મહિલાઓ તથા એક છુટાછેડા લીધેલ મહિલાને પગભર થઇ પોતાનું ગુજરાન ચલાવવાનાં ઉદ્‌ેશ સાથે સિવણ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ દાતાશ્રી ગોવિંદભાઇ તથા અમૃતબેનની ઉપÂસ્થતિમાં યોજાયો હતો. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે પ્રસંગ પરિચય આપ્યો હતો. સુરેશભાઇ માહેશ્વરીએ […]

માનવજ્યોત દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. માનસિક દિવ્યાંગો અને બાળશ્રમયોગીઓ પણ જાડાયા.

માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગો અને બાળકો-બાલિકાઓએ વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહી યોગાસન કર્યા હતા. શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરીએ યોગ વિશે સુંદર સમજ પૂરી પાડી હતી. માનસિક દિવ્યાંગો અને બાળશ્રમયોગીએ યોગ કર્યા હતા. અને નિયમિત યોગાસન કરવા સંકલ્પ કર્યો હતો. માનવજ્યોત સંચાલિત શ્રી […]

બીએસએફ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મુન્દ્રા રોડ ઉપર આવેલ બટાલીયન-૭૯ બીએસએફ પ્રાંગણ મધ્યે કુંડા,ચકલી ઘર, કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડીપાર્ટમેન્ટનાં સુપ્રિ. એન્જીનીયર શ્રી શૈલેષકુમાર ઉગ્રેચાનાં અધ્યક્ષસ્થાને તથા એÂક્ઝ. ઇન્જીનીયર અરૂણકુમાર સોની અને યુ.એસ. પુટ્ટા સાહેબનાં અતિથિ પદે યોજાયો હતો. પ્રારંભે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ માનવસેવા […]

વૃંદાવનનાં સંત શ્રી પાગલબાબાએ રામદેવ સેવાશ્રમની મુલાકાત લીધી

વૃંદાવનથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી. તેમની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છનાં મહામંત્રી હરેશભાઇ પુરોહિત સાથે રહ્યા હતા. વરસાણા વૃંદાવન વ્રજધામથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ દરેક માનસિક દિવ્યાંગોનાં મસ્તકે હાથ ફેરવી તેઓ જલ્દી સ્વસ્થ બને તેવા આર્શિવાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જુનું […]

બિલેશ્વર મંદિરે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં ભાનુશાલીનગર, સરકારી વસાહત મધ્યે આવેલ. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિવિશેષપદ કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રાધિકા મહિલા મંડળનાં પ્રમુખ પૂનમબા એચ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,હરેશભાઇ દવે, એ શોભાવ્યું હતું. પ્રારંભે શિવશંકર નાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.માનવજ્યોતનાં […]

કથાનાં છઠ્ઠા દિવસે કચ્છ ગુજરાતની વિવિધ સંસ્થાઓની કામગીરીને બિરદાવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં માનવસેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા ૧૫ વર્ષથી થઇ રહેલ છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, શ્રી રામકથા સમિતિ દ્વારા અહિંસાધામ નંદી સરોવર મધ્યે શ્રી રામકથાનાં છઠ્ઠા દિવસે સાંજે કચ્છ-ગુજરાતની વિવિધ સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવેલ. પ.પૂ. સંત શ્રી મોરારીબાપુની ઉપÂસ્થતિમાં દરેક કાર્યકરોને તેમનાં વરદ્‌ […]

સંસ્થા દ્વારા ૧૦ હજાર ફુડસ પેકેટો તૈયાર રખાયા

“વાયુ’’ વાવાઝોડાની કચ્છ ઉપર ત્રાટકવાની સામે પૂર્વ તૈયારીરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સૂકા-નાસ્તાનાં ૧૦ હજાર પેકેટો તૈયાર રાખવામાં આવેલ છે.જ્યાં જરૂરત ઉભી થશે ત્યાં આ પેકેટો વિતરણ કરવામાં આવશે. માનવજ્યોતની ટીમ દ્વારા આફત અને સંકટ સમયે લોકોની વચ્ચે લોકોની સાથે રહી માનવસેવાનું કાર્ય કરવા કાર્યકરોની ટીમને તૈયાર રાખવામાં આવેલ.તેવું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા મંત્રી […]