Author Archives: Admin Manavjyot

ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારામજુરી મુક્ત બાળકોને “સાયન્સ સીટી,, બતાડાયું

ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત ગરીબ બાળકોને ભુજીયા તળેટીમાં આવેલ “સાયન્સ સીટી,, બતાડવામાં આવેલ. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીનાં પ્રમુખ યામિની ઠક્કર, સેક્રેટરી ઉર્વી સોની, ખજાનચી કવિતા ભાનુશાલી તથા બીનાબેન જોષી, નીતાબેન હાલાણી, વિધિબેન ઠક્કરે ઉપસ્થિત રહી બાળકોને ભાવતો અલ્પહાર અર્પણ કર્યો હતો. મજુરી મુક્ત બાળકોએ […]

મધ્યપ્રદેશનાં બે ભાઇઓનું 35 વર્ષ પછી થયું મિલનચિંતા માં માતા-પિતા મૃત્યુ પામ્યા, પત્નીએ બીજા લગ્ન કરી લીધા.ઘરેથી નીકળ્યો ત્યારે 30 વર્ષનો હતો. આજે તે 65 વર્ષનો થઇ ચુકયો છે.

મધ્યપ્રદેશના રિવા જીલ્લાનાં દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાનપ્રસાદ કુશવાહા ઉ.વ. 30 ગુમ થતાં તેનાં પરિવારજનોએ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં કોઇ ખબર-અંતર ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તે વિવિધ રાજ્યોનાં અનેક શહેરો-ગામડાંઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. કયાંક ખાવા તો કયાંક સૂવા નમળ્યું. અનેક મુશ્કેલીઓ વેઠતો છેલ્લે તે […]

બળદીયાનાં જીવદયાપ્રેમીને ભાવાંજલિ અર્પણ કરાઇ

બળદીયા ગામનાં જીવદયાપ્રેમી શ્રી કલ્યાણભાઇ લાલજી જેસાણીને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષીએ તેઓની જીવદયાની પ્રવૃત્તિઓની બિરદાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વિસ્તારામાં તેમણે કરેલ માનવસેવા-જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.

માટીનાં ચકલીઘરોમાં ચકલીઓ ઇંડાનું સેવન કરી બચ્ચાઓને ઉછેરી રહી છે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં 30 હજાર માટીનાં ચકલીઘરો કચ્છનાં શહેરો, ગામોમાં લટકાડવામાં આવ્યા. જે ચકલીઘરોમાં ચકલીઓએ માળો બાંધી ઇંડા, બચ્ચા મૂકયાની અનેક તસ્વીરો જીવદયાપ્રેમીઓએ માનવજ્યોત સંસ્થા ભુજને વોટસઅપથી પહોંચાડી હતી. માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું હોઇ ચકલીઓ આવા ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. ઠેર-ઠેર લટકતા ચકલીઘરો જ્યાં લટકાવો […]

બાયડ આશ્રમનાં 16 અને સોમનાથ આશ્રમનાં 13માનસિક દિવ્યાંગો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે.

માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં માનસિક દિવ્યાંગોનાં વિવિધ આશ્રમો સાથે સંકલન કરી જે-તે આશ્રમોનાં માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર શોધી આપી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતનાં વિવિધ આશ્રમોનાં 375 માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે. વર્ષો પછી તેમનું પરિવારજનો સાથે ફેર મલિન થયું છે.પરિવારજનો તેમને વર્ષોથી શોધી રહ્યા હતા. આવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત […]

પશ્ર્ચિમ બંગાળનાં બે યુવાનો 3 વર્ષે ઘરે પહોંચ્યા

પશ્ર્ચિમ બંગાળનાં બે યુવાન સૌરભ ઉ.વ. 25 રહેવાસી પૂર્વ મેઝરીપુર તથા અનુપમદાસ ઉ.વ. 40 રહેવાસી પૂર્વ મેઝરીપુર ગુમ થતાં બંનેના અલગ-અલગ પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. આખરે રખડતો-ભટકતો સૌરભ 3 વર્ષ પછીબાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમ મધ્યે જયારે અનુપમદાસ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં […]

લીંબોડી બિજારોપણ કરી, વૃક્ષ ઉછેર કરી, પર્યાવરણને બચાવીએ કોટી વૃક્ષ અભિયાન- બીદડા

માનવ સેવાનાં વિવિધ ક્ષેત્રે વિવિધ દાતાઓ અને સંસ્થાઓનાં સહયોગથી પ્રકૃતિ અને સમાજનો ઋણ અદા કરવાનાં વિવિધ કાર્યોમાં નમ્ર સેવા આપી રહેલ વિવિધ સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે પણ અનુદાન આપવા નમ્ર પ્રયાસ કરી રહી છે. કારણ કે આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ના પ્રશ્ને જબરી ચિંતા ઊભી થઈ છે. એટલે માનવ સેવાનાં ક્ષેત્રમાં કાર્ય કરતીપ્રત્યેક સંસ્થાઓએ આ […]

વરસાદી વાતાવરણ વચ્ચે જરૂરતમંદલોકોને રાશનકીટ તથા ભોજન પહોંચાડાયું

છેલ્લા 4 દિવસથી ભુજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોને રાશનકીટ તથા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા, ગોવિંદભાઇ પાટીદાર, નિતીન ઠક્કરે જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. ગરીબ પરિવારોએ સંસ્થાને આર્શિવાદ […]

“મજુરી મુક્ત” બાળકોને હોટેલમાં જમાડાયારોટરી કલબ ઓફ ભુજ વોલસીટીની અનોખી પહેલ

રોટરી કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત બાળકોને ભુજની “ધ ગ્રાન્ડ ફલેવર્સ હોટેલ,,માં લઇ જઇ ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. જે બાળકોએ હોટેલ જોઇ નહતી… જે બાળકો હોટેલમાં કયારે જમ્યા નથી તેવા બાળકોને નવી-નવી વાગીઓ સાથે પંજાબી, સાઉથ ઇન્ડીયન ભોજન ભરપેટ જમાડવામાં આવેલ. હોટેલમાં નવી-નવી આઇટમો જમી બાળકોએ […]

1791 માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા પરિવારજનો સાથે થયું ફેર મિલન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવાની શરૂઆત સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાના જ તન, મન, ધન અને સમયનાં ભોગ સાથે કરવામાં આવી મુખ્ય માર્ગો, રસ્તા ઉપર કેટલાય બિનવારીસ માનસિક દિવ્યાંગો રખડતા-ભટકતા જોવા મળ્યા. આવા માનસિક દિવ્યાંગોને પોતાના માનીને પ્રેમપૂર્વક સંભાળી રસ્તે રઝળતા આવા લોકોને સ્નાન કરાવું, ભોજન આપવું,નખ-વાળ કાપવા, […]