બિહારનાં પટણા વિસ્તારના ૧૯ વર્ષિય યુવાન સોનુને કોઈક ઠેકેદાર સારી નોકરી અપાવવાના બહાને બિહારથી ટ્રેન મારફતે લઈ આવતા હતા. વડોદરા પાસે આ યુવાન ટ્રેનમાંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોઈ ઠેકેદારે તેનો સાથ છોડી દીધો હતો. માથામાં ગંભીર ઈજાઓ અને લોહીથી આ યુવાન ખૂબ જ સંકટમાં આવી ગયેલ. તેને લોહી લુહાણ હાલતમાં જોઈ […]
Author Archives: Admin Manavjyot
સૂરજપર-કચ્છનાં શ્રી નવીનભાઈ દેવજી મેપાણીએ પોતાનાં જન્મદિવસે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડયું હતું. આશ્રમસ્થળે કેક કાપી જન્મદિન કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી હતી. માનસિક દિવ્યાંગો વચ્ચે રહી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે વાલાબાઈ હરજી વેકરીયા તથા હરજી પ્રેમજી વેકરીયા સૂરજપરવાલાએ માનવજ્યોત સંસ્થા ભુજ […]
ર૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન જયારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના સહકારથી “મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ,, દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર સરકારી પરમીશન મેળવીને “દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ,, કાર્યક્રમ એકમ-ભવન ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે પૂજાબેન અયાચી, સુધાબેન બુદ્ધભટ્ટી, પ્રબોધ મુનવર, અરવિંદસિંહ ઝાલા, અંજુબેન શાહ, જયાબેન મુનવર, કલ્પનાબેન […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઈ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઈ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. જરૂરતમંદોને કપડા તથા ધાબડા વિતરણ કરાશે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૪ દિવસમાં ૪૦૦ જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ૧૨૦ પરિવારોને અડધો-અડધો કિલો ખજૂર પણ આપવામાં આવી છે. શિયાળામાં શરીરને કંપાવી નાખતી ઠંડીમાં ઝુંપડાઓ-ભૂંગાઓ અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે. છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ અતિ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ દ્વારા સોશ્યીલ ડીસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને ગળપાદર જેલ મધ્યે કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ, કોરોનાં સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ અને ઠંડી સામે […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાલારા ખાસ જેલમાં કેદી ભાઈ-બહેનોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમધાબડા અર્પણ કરાયા હતા. આ પ્રસંગે પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ રાવ, જેલર શ્રી વી.આર.રાઓલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ. તેમજ કોરોના સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ. જીલ્લા કાનૂની સેવા સત્તા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ચકલીઓ માટે ઠેર-ઠેર ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. પક્ષી પ્રેમીઓએ ચકલીઘરો નજીક-નજીકમાં ગોઠવી ચકલીઓને તેનું ઘર આપ્યું છે. કચ્છમાં અનેક જાહેર સ્થળો-મંદિરો-બાગ-બગીચા-ચાની હોટલો, સરકારી કચેરીઓ, વૃક્ષો ઉપર તથા બાલ્કનીમાં, દુકાનો,ઓફિસો ઉપર માનવજ્યોતનાં માટીનાં ચકલીઘરો લટકતા જોવા મળે છે. જીવદયાપ્રેમીઓ નાનકડા પક્ષી ચકલીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. અનેક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ૪૦૦ જરૂરતમંદ લોકોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઈ ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવાએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.









