Author Archives: Admin Manavjyot

શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં ૧૦ હજારથી વધુ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત જિલ્લા આયુર્વેદિક શાખા અને જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ભુજ શહેરમાં દશ હજારથી લોકોને શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહે […]

સંસ્થા દ્વારા ૩ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૩ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઇ સગું – સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમસથવારાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ […]

માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ સ્વામિનગર ભુજ આયોજિત કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીના વરદ્ હસ્તે ચકલીઘર, કુંડા, માસ્ક, શમશનીવટી આયુર્વેદીક ગોળીઓ તથા કપૂર-લવીંગ, અજમા મિશ્ર પડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. શ્રી કલ્પનાબેન ચોથાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કલ્પનાબેન, નિશાબેન, શારદાબેન, ઉર્વશીબેન, વંદનાબેન, વિજયાબેન, જયશ્રીબેન, કુંતલબેન, રશ્મિબેન, માધવીબેન, યામીનીબેન, કોમલબેન, રેણુકાબેન, આશાબેન […]

૩૦ માનસિક દિવ્યાંગોને વેકસીન અપાઇ આધારકાર્ડ નહોતાં… તંત્ર બન્યો આધાર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં ૩૦ માનસિક દિવ્યાંગોને કોરોનાં સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભુજ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માધાપરની ટીમે […]

પ્રધાનમંત્રી જન-કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન

પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મુકેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી જયકરણ ડબ્બાસ, ગુજરાત પ્રદેશ પ્રભારી સાધ્વી નિર્મલાજીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સચિવ શ્રીમતિ આશિકાબેન ભટ્ટે સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ અને કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે […]

નારાણપરમાં ૩૦૦ ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા તથા ગીતાબેન દલાલનાં સહયોગથી નારાણપર ગામે ૩૦૦ અને મીરઝાપર ગામે ૨૦૦ મળી માટીનાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. નાનબાઇ રામજી ભુડિયા, શામબાઇ પ્રેમજી વાઘજીયાણી, માનબાઇ નારાણ પિંડોરીયાનાં વરદ્ હસ્તે ચકલીઘર વિતરણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ચકલીઓને રહેવા ઘર મળે તો ચકલી કચ્છમાં […]

કામનાથ મહાદેવ મંદિરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભુજનાં કામનાથ મહાદેવ મંદિરે માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કિરીટભાઇ સોમપુરા, વિશ્વ હિન્દુ પરિષદનાં બલવંતસિંહ વાઘેલા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરની ઉપસ્થિતિમાં વૃક્ષોનાં રોપા, તુલસીરોપા, ચકલીઘર, કુંડા તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. ઉપસ્થિત આગેવાનોએ […]

માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા

કોટી વૃક્ષ અભિયાન બીદડા, માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ લંડન નાં સહયોગથી ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ માટીનાં ચકલીઘર વિતરણ કરાયા હતા. પર્યાવરણને બચાવવા લોકજાગૃતિરૂપે વૃક્ષોનાં તૈયાર રોપા, તુલસીરોપા, કુંડા, ચકલીઘર, ચણથાળી, શ્વાનો માટે અને ગૌમાતાઓ માટે પાણી […]

મીરઝાપરનું કપીરાજ હનુમાન મંદિર બન્યું માનવસેવાનું કેન્દ્ર

મીરઝાપર મધ્યે આવેલું શ્રી કપીરાજ હનુમાન મંદિર સાચા અર્થમાં માનવસેવાનું કેન્દ્ર બની ચૂકયું છે. આ મંદિરનાં પ્રાંગણમાં શ્રી રાઘવ મંદિર પણ આવેલું છે. ભાવિકો શીશ ઝુકાવવા અહીં સુધી પહોંચતા હોય છે. મંદિર પ્રાંગણમાં પક્ષી માટે ચબૂતરો તથા બાળકો માટે રમત ગતમના સાધનો પણ ઉપલબ્ધ છે. વૃક્ષારોપણ, ઝાડ-પાન અને હરિયાળીથી મંદિર સ્થળ આકર્ષક લાગે છે. હનુમાનજીની […]

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનો ૪ વર્ષમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

માનવજ્યોત સંસ્થા ભુજ કલ્પતરૂ વિજયનગર શાખા થી છેલ્લા ૪ વર્ષ માં ૧૯૮ દર્દીઓએ કોન્સન્ટ્રેટર મશીનોનો લાભ લીધો હતો. અને ઘેર બેઠા ઓક્સિજન સેવા મેળવી હતી. યુ.કે. સ્થિત માધાપરનાં દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇએ માનવજ્યોત સંસ્થાને પોતાનાં પરિવારનાં જુદ-જુદા નામોથી દર વર્ષે બે અને ચાર વર્ષમાં ઓક્સિજનનાં ૮ મશીનો અર્પણ કર્યા હતા. જેનો જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો […]