Author Archives: Admin Manavjyot

માનવજ્યોતને દોઢ લાખનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને માતુશ્રી હીરાબેન ડુંગરશી મોમાયા તથા પિતાશ્રી ડુંગરશી વિશનજી મોમાયા ગામ શાયરા-આદિપુર – ભુજનાં આત્મશ્રેયાર્થે માનવસેવા કાર્ય માટે પ્રિતીબેન ડુંગરશી મોમાયા ભુજ દ્વારા રૂા. ૧,૫૧,૧૧૧ એક લાખ એકાવન હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ […]

શ્રી તારાચંદભાઇ છેડાનો ૦૨મો જન્મદિન ઉજવાયો

રાજ્યનાં પૂર્વ મંત્રી, અનશનવ્રત ધારી અને માનવજ્યોત સંસ્થાના માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ છેડાનાં ૭૨ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવાયું હતું. અને સ્વર્ગસ્થની સેવાઓને બિરદાવી તેઓને અંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ […]

ભુજમાં આગનાં બનાવથી બેઘર બનેલા દિવ્યાંગ પરિવારને તાત્કાલિક સહાય કરાઇ

ભુજ શહેરનાં વાલ્મીકીનગરમાં રહેતા ગોસ્વામી દિવ્યાંગ દંપતિનાં ઘરમાં આગ લાગતાં સંપૂર્ણ ઘરવખરી બળીને રાખ થતાં ભુજની માનવજ્યોત સંસ્થા પરિવારનાં વહારે આવી હતી. પાથરવા-ઓઢવાનાં સાધનો, વાસણ, પહેરવાનાં કપડા, અનાજ, રાશન, તાલપત્રી તથા અન્ય ઘરવખરી માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, હિતેશ ગોસ્વામીએ તેમના ઘર સુધી પહોંચાડી હતી.

૮૮ વર્ષિય વૃદ્ધાને પણ ઘર શોધી અપાયું

ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં એક અજાણ્યા વૃદ્ધા સમી સાંજે દેખાતાં જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થા ભુજને જાણ કરતાં વૃદ્ધાને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેઓનું ઘર શોધવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. યાદશક્તિ ઓછી હોવાથી વૃદ્ધા સરખા મુંઝાયા હતા. ૮૮ વર્ષિય વૃદ્ધાએ આધોઇ-દુધઇ-રાપર ત્રણ ગામોનાં નામ આપતાં સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પોલીસનો […]

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું.

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું. ભુજમાં વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદો સુધી ફુલ ભોજન પહોંચાડાયું હતું. અને વરસાદમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. શીવજીભાઇ હાલાઇ મેઘપર દ્વારા ૩૦૦ તથા અપનાઘર માધાપર સ્થળેથી ૧૦૦જેટલા લોકો માટે તૈયાર રસોઇ માનવજ્યોતને આપવામાં આવતાં આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા […]

ઉત્તર પ્રદેશનો ગુમ યુવાન ૪ વર્ષે મળ્યો પરિવારજનો સાથે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં મુથરા જીલ્લાનાં પંચાવર ગામનો ૫૩ વર્ષિય ટોનુખાન ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે રેલ્વે મારફતે કચ્છ પહોંચ્યો હતો. શરૂઆતમાં કોડાયપુલ ચાર રસ્તા ઉપર આશ્રય લીધો હતો. અહીં તેને ખાવા-પીવાનું મળી રહેતું. ત્યાર બાદ તે ભુજ પહોંચ્યો હતો. તેનો ડાબો હાથ અડધો છે. ભુજ હિલગાર્ડનથી રઘુવંશીનગર ચોકડી પાસે […]

હોમીયોપેથીક આયુર્વેદિક કેમ્પનો ૮૦ દર્દીઓએ લાભ લીધલ

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી હોમીયોપેથીક તથા આયુર્વેદિક નિઃશુલ્ક નિદાન કેમ્પ મહાકાલેશ્વર મંદિર રઘુવંશીનગર ચોક મધ્યે યોજાયો હતો. દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. જેનો ૮૦દર્દીઓએ લાભ લીધો હતો. દરેકનાં દર્દનું નિદાન કરી દવાઓ ફી […]

સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા

અબડાસાનાં અગ્રણી આગેવાન સ્વ. જુવાનસિંહજી હમીરજી જાડેજાને દશમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઇ હતી. અને એમની પુણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ઘરે બેઠાં ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ જેવા માનવસેવા,જીવદયાનાં કાર્યો કરાયા હતા. તેમજ ગરીબોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. વ્યવસ્થા પ્રબોધ […]

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને માનવજ્યોત દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, જી.કે.જનરલ હોસ્પીટલ હોમિયોપેથીક વિભાગ, કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા, સરકારી હોમિયોપેથીક દવાખાનું, માનવજ્યોત તથા ભીડ પંચાયતી પ્રાથમિક શાળાના ઉપક્રમે યોગ શિબિરનું આયોજન ભીડ ચોક શાળા નં. ૩ મધ્યે કરવામાં આવેલ. ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રિયંકાબેન ચૌધરીએ બાળકોને યોગ અંગેની સમજ પૂરી પાડી યોગા કરાવેલ. દરરોજ યોગા કરવાથી શરીર રોગ મુક્ત રહે […]

માનવજ્યોત દ્વારા હેલ્થ સેમિનાર યોજાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા, મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં હેલ્થ સેમિનાર એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં વિસનગરથી પધારેલા સચિન પટેલ અને નિશા હડોલાએ દરેક પ્રકારનાં રોગો સામે આયુર્વેદિક ઉપચારની સુંદર માહિતી પૂરી પાડી હતી. આજના યુગમાં આયુર્વેદિક દવા-ગોળીઓનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મોટા રોગો સામે પણ આયુર્વેદિક દવાઓ રામબાણ ઇલાજ સાબિત થઇ છે. […]