Author Archives: Admin Manavjyot

100 પરિવારોને ઠંડા પાણીનાં માટલા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ […]

વિવિધ વિસ્તારોમાં મતદારોને ઠંડી છાસ પીવડાવાઇ

લોકશાહીનાં મહાપર્વની ભુજમાં જયારે ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભુજ વિસ્તારનાં વિવિધ મતદાન મથકોથી દુર અને મતદાન મથકેથી મત દઇને પરત જઇ રહેલા મતદારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બરફ,જીરા, નમકવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવેલ. સંસ્થા દ્વારા 500 લીટર છાસ વિતરણ કરાઇ હતી. સખત ગરમી અને બળબળતા તાપમાં ઠંડી છાસ પી ને મતદારોએ ખુશી વ્યક્ત કરી […]

હિમાચલપ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો

હિમાચલપ્રદેશનો યુવાન સુરેશકુમાર ઉ.વ. 48 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને ભુજ લઇ આવ્યા. માચલપ્રદેશની પોલીસની મદદ લઇ આ યુવાનનું ઘર શોધી કઢાયું. તેનાં પરિવારજનો ભુજ આવી […]

બાળશ્રમયોગીઓને નવા ડ્રેસ અર્પણ કરાયા

ભુજ શહેરનાં રેલ્વે સ્ટેશન માર્ગે આવેલ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ભગવતી વિદ્યામંદિર શાળાનાં બાળશ્રમયોગીઓને લંડન સ્થિત દાતાશ્રી દ્વારા નવા ડ્રેસ અર્પણ કરાતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. નારાણપરનાં શ્રી ગોવિંદભાઇ ભુડિયા તથા અમૃતબેન ભુડિયાનાં વરદ્ હસ્તે આ નવા ડ્રેસ અર્પણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળાનાં શિક્ષીકા બિંદીયાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રી દ્વારા […]

સ્વ. શ્રી તારાચંદભાઈ છેડાની બીજી પુણ્યતિથિ ઉજવાઈ

માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઈ જગશી છેડાની બીજી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને માતૃશ્રી લક્ષ્મીબેન જગશીભાઇ છેડા પરિવાર કાંડાગરા- ભુજ તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, […]

હરતા-ફરતા છાશ કેન્દ્ર દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ શરૂ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સદ્ ગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં […]

કોઠારા તીર્થે મોરલો શાંતિનાથ દાદાનાં દર્શને પહોંચ્યો

અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થે મુખ્ય જિનાલય પરિસરમાં એક નાનું સુંદર 500 વર્ષ પ્રાચીન સોહામણું જિનાલય છે. જે જિનાલયમાં સંપ્રતિકાલીન 2300 વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથપ્રભુજી બિરાજમાન છે. જૂના શાંતિનાથ તરીકે ઓળખાતા આ જિનાલયે રાત્રે 8 વાગ્યા પછી આરતી સમયે મોરલો દાદાનાં દરબાર અંદર પહોંચ્યોહતો. મોટા ભાગે ડુંગરો, મંદિરોનાં શિખરો, ઉંચા ટાવરો તથા ઉંચા મકાનો ઉપર […]

તેલંગના પોલીસ ભુજ પહોંચી ગુમ યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો

તેલંગના રાજ્યનો યુવાન મધુકુમાર ઉ.વ. 28 ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવ્યો હતો. તેને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની સારવાર શરૂ કરાવવામાં આવી હતી. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેલંગના પોલીસનો સંપર્ક કરી તેનાં […]

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના 224 છાત્રોએ ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઓ-કોલેજો-ગુજરાત વિદ્યાપીઠનાં છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રથમ પસંદગી કરતા હોય છે. 30 દિવસની ટ્રેનીંગ દરમ્યાન સંસ્થા દ્વારા 49 જેટલી ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા કાઉન્સલીંગ અને વિવિધ સેવાકાર્યોની સમજ પૂરી પાડવામાં આવેલ. ટ્રેનીંગનાં અંતે ગુજરાત વિદ્યાપીઠનાં ત્રણ છાત્રોને રવજીભાઇ કરશનભાઇ હાલાઇ, શીવજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ હાલાઇ તથા માવજીભાઇ પિંડોરીયાનાં વરદ્ હસ્તે […]

રામનવમી નિમિત્તે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી 101 શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, મનસુખભાઇ નાગડા, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવાએ સંભાળી […]