Author Archives: Admin Manavjyot

રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોની માનવજ્યોત દ્વારા થતી અનોખી સેવા

જૈનોનાં વર્ધમાનનગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે લઇ આવવામાં આવેલ. રસ્તે રઝળતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ પ્રથમ ચા,નાસ્તો કરાવવામાં આવેલ. ત્યાર પછી તેનાં બાલ-દાઢી કરાવવામાં આવેલ. તેના મેલા-ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવેલ અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. તે દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનથી નીકળેલ. […]

રાજસ્થાનનાં પરિવારજની મુશ્કેલીનો 3 વર્ષે અંત આવ્યો માતા-પુત્ર નું થયું મિલન

રાજસ્થાનનાં પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી. તેનાં કોઇ ખબર નમળતાં પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં જીવન જ્યોત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક અને ટ્રસ્ટનાં સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવારકરાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]

માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું વિદેશ સ્થિત દાતા દ્વારા માનવજ્યોતને 10 લાખનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે. સંસ્થાનાં વાહનો જુના થઇ ગયા હોઇ દાતાશ્રી પાસે રજુઆત કરતાં અક્ષરનિવાસી વાલજીભાઇ વિશ્રામ હીરાણીનાં આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઇ વાલજી હીરાણી સુખપર (મદનપુર) પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું. વાહન અર્પણવિધિ કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ […]

દર વર્ષે વધી પડેલી રસોઈમાંથી અઢી લાખ લોકો ભરપેટ જમે છે.ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે

માનવજ્યોત દ્વારા લગ્નપ્રસંગે, શુભ પ્રસંગે, ધાર્મિક પ્રસંગે કે પ્રસંગોપાત વધી પડેલી રસોઈ જુદી-જુદી સમાજવાડીઓ, પાર્ટી પ્લોટ સ્થળેથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે લગ્નવાડીઓમાંથી રસોઈ વધી પડયાનાં ફોન આવતા રહે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ સમાજવાડી, પાર્ટી પ્લોટ સુધી પહોંચી જાય છે. ગરમા ગરમ વધી પડેલી રસોઈ લઈ આવે છે. આ […]

ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરાઇ

ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાં એક ભાગરુપે જરુરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવા કપડા એકઠા કરી ભુજની સેવાભાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. એક પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ બ્રાંચ મેનેજર કલ્પેશ પ્રજાપતિ, ટ્રેનીંગ મેનેજર અરુણકુમાર, આસિસ્ટન મેનેજર તબુબેન રાજપુત તથા ગૌરાંગ પટેલ […]

પુત્ર ગુમ થયો ત્યારથી ચેનથી સૂતી નથી આજે પુત્ર હેમ-ખેમ મળતાં અનહદ ખુશી છે. માતાની આંખોમાંથી દળ-દળ આંસુ વહ્યાં

ઓરિસ્સાનાં રાઉરકેલા વિસ્તારનો યુવાન રાજકુમાર પાત્રે ઉ.વ. 25 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ અતો-પતો નમળતાં પરિવાર નિરાશ થયો હતો અને ચિંતામાં મુકાયો હતો. આખરે તે રખડતો-ભટકતો 7 મહિનાં પછી ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો. અને પગે ચાલતાં ભુજ-ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી […]

સર્વોદય મહિલા મંડળ દ્વારા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વિવિધ પ્રકારે સેવાઓ કરાઇ

ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ ગોદાવરીબેન ઠક્કર સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. માનસિક દિવ્યાંગ […]

પરિવાર દ્વારા મૃત જાહેર થયેલ વડિલ ભુજમાંથી મળ્યા પિતા-પુત્રનું 7 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયાપુત્ર વિમાન માર્ગે ભુજ પહોંચ્યો

આસામનાં રાનીગંજ વિસ્તારનાં લુંટાપારા ગામનાં 63 વર્ષિય વડીલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતા-ભટકતા છેલ્લે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સમગ્ર ટીમે તેમની ખૂબ જ સારી સરભરા સાથે સારી સારવાર કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન […]

પિતા-પુત્રનું પાંચ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં બડવાની જીલ્લાનો યુવાન સુરેશ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ ચિંતા સેવી તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવતાં સંસ્થાનાં સંચાલક શ્રી જેરામભાઇ ભગત તથા તેમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સારવાર કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત […]

પિતા-પુત્રનું 10 વર્ષે થયું મિલન પરિવારજનો પોતાનાં વાહન દ્વારા ભુજ પહોંચ્યા

બિહારનાં શીખપુરા જીલ્લાનાં એકરાય ગામનો યુવાન મનોહર માંઝી ઉ.વ. ૪૪ ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં રખડતો-ભટક્તો રહી તેણે અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આખરે તે આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સૂરત મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક જેરામભાઇ ભગત તથા સર્વે સેવાભાવીઓની ટીમે તેની ખૂબ સારી સારવાર સાથે સરભરા […]