અંતિમક્રિયા સમયે સંસ્થાએ લાસની ઓળખ કરાવી આપી બિનવારસ લાસોની અંતિમક્રિયાનો સંસ્થાએ ૪૦૦ નો આંકડો પાર કર્યો

ભુજની જનરલ હોસ્પીટલમાં છેલ્લા ૮ દિવસ દરમ્યાન મૃત્યુ પામેલ અજાણી ૪ વ્યક્તિઓની બિનવારસ લાસો પોલીસ રિપોર્ટ અને મૃત્યુનાં પ્રમાણપત્ર સાથે માનવજ્યોતને સોંપવામાં આવી હતી.

તા. ૨૬-૮ નાં માનવજ્યોત સંસ્થા ભુજને આર.ટી.ઓ. વિસ્તારમાંથી એક વૃદ્ધ વડીલ ઉ.વ. ૮૦ બિમાર હાલતમાં મળેલ. જેનું તા. ૨૮-૮- નાં ભુજની જનરલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ. ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સંસ્થાને પોલીસ રીપોર્ટ અન્ય મૃત્યુનું પ્રમાણપત્ર મળેલ.

તા. ૨૮-૮ થી ૩૧-૮ નાં ગાળામાં મૃત્યુ પામેલ આ બિનવારસ પુરૂષોની લાસો જનરલ હોસ્પીટના કોલ્ડ સ્ટોરેજમાં ઓળખવિધિ માટે રાખવામાં આવી હતી. તા. ૪-૯ સુધી ઓળખવિધિ માટે કોઇ આગળ ન આવતાં ચારે લાસો અંતિમક્રિયા માટે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપાઇ હતી.

તા. ૩૧-૮ નાં રેલ્વે ફાટકથી ૪૦૦ મીટર કુકમા તરફ જતાં ટ્રેન પરથી પડી જતાં ૩૫ વર્ષિય યુવાનનું મૃત્યુ થયું હતું. પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી હતી. પણ આ યુવાનની ઓળખ થઇ શકી નહતી.

તા. ૩૧-૮ નાં આદિપુર પોલીસ સ્ટેશનને ૩૨ વર્ષિય એક યુવાન મળી આવેલ. જે બીમારીનાં કારણે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ. તેનાં ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલી હતી.

તા. ૩૧-૮ ગાંધીધામ પોલીસ દ્વારા એક અજાણ્ય યુવાન ઉ.વ. ૪૦ ને બીમારીનાં કારણે ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયેલ.

માનવજ્યોતના સંસ્થાનાં ભુજનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજુ જાગી, વિક્રમ રાઠી, રસીક જાગી આજે ચારે લાસોને લઇ ખારીનદી પહોંચ્યા હતા. ત્યાં અન્ય કોઇ વ્યÂક્તની અંતિમક્રિયા કરવા આવેલ ભાઇઓને લાસની ઓળખવિધી માટે જણાવેલ. સંસ્થાએ મોબાઇલમાં તેમનો ફોટો પણ ઓળખવિધિ માટે બતાવ્યો હતો. લાસની અંતમક્રિયા થાય એ પહેલાં જ ઉપસ્થિત બે ભાઇઓએ લાસ વૃદ્ધ વડીલની હતી તેની ઓળખ કરાવી આ વૃદ્ધ ચંદુલાલ ચુનીલાલ ઠક્કર હોવાનું જણાવ્યું હતું. અને તેમનાં સગા-સબંધીઓને જાણકારી આપી હતી. આજે એક સાથે ત્રણ લાસોની અંતિમક્રિયા કરાઇ હતી.

આમ છેલ્લે છેલ્લે પણ સંસ્થાને ૧ લાસની ઓળખવિધિમાં સફળતા મળી હતી. લાસ તેમનાં સગા-સંબંધીઓને સોંપવામાં આવી હતી. આ સાથે જ માનવજ્યોત સંસ્થાએ બિનવારસ લાસની અંતિમક્રિયા કરવાનો ૪૦૦ નો આંકડો પાર કર્યો હતો. સંસ્થાએ અત્યાર સુધીમાં ૪૦૧ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરી છે.

માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે સાસ્ત્રોક્રત વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.