માનવસેવા અને જીવદયાનું કાર્ય કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર કેરા મધ્યે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરબારગઢ ચોક ભુજ દ્વારા પૂજ્ય સ્વામિ જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ચેક સ્વીકારેલ.પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ૨મેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.