આંધ્રપ્રદેશનાં શિકાકોલમ વિસ્તારનો યુવાન યનુ ઉ.વ. 22 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. તેનાં પરિવારજનો તેને સતત શોધતા રહ્યા હતા.
આખરે તે રખડતો-ભટકતો ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ-માધાપર માર્ગેથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે લઇ આવી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવવામાં આવેલ.
તેનાં મામા-કાકા તેની શોધમાં ગાંધીધામ પહોંચ્યા હતા. ત્યાં કોઇકે તેમને ભુજની માનવજ્યોત સંસ્થામાં મોકલાવ્યા. ભુજ પહોંચી તેઓ માનવજ્યોત કાર્યાલયે પહોંચ્યા હતા. આમ યુવાન યનુ નો તેનાં પરિવારજનો સાથે અચાનક ભેટો થતાં પરિવારજનો ખુશ-ખુશાલ બન્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં આશ્રમનાં સામાજીક કાર્યકર રીતુબેન વર્મા, આનંદ રાયસોની, દિપેશ શાહ સહયોગી બન્યા હતા.