ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં એક અજાણ્યા વૃદ્ધા સમી સાંજે દેખાતાં જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થા ભુજને જાણ કરતાં વૃદ્ધાને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેઓનું ઘર શોધવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. યાદશક્તિ ઓછી હોવાથી વૃદ્ધા સરખા મુંઝાયા હતા.
૮૮ વર્ષિય વૃદ્ધાએ આધોઇ-દુધઇ-રાપર ત્રણ ગામોનાં નામ આપતાં સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પોલીસનો સંપર્ક કરી તેઓનાં પરિવારને શોધી કાઢતાં પરિવારજનો દુધઇથી તાબડતોબ ભુજ પહોંચી વૃદ્ધ વડીલ મહિલાનો કબ્જો સંભાળ્યો હતો. આખરે પાંચમાં દિવસે જ વૃદ્ધાનો પોતાનાં પરિવાર સાથે ફરી મેળાપ થયો હતો. તેડવા આવેલા પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, ઇરફાન લાખા, દિપેશ ભાટિયા, વાલજી કોલી, અમૃતભાઇ ડાભી સહભાગી બન્યા હતા.