મહારાષ્ટ્રનાં નાશિક જીલ્લાનાં લાસલર્ગાંવનો સંજય એકનાથ એલેજે ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. છતાં કયાં પણ એનો અતો-પતો નમળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તે
દેશનાં જુદા-જુદા રાજ્યો, શહેરો, ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. તેણે અનેક દુઃખો વેઠી આફતોનો સામનો કર્યો. આખરે તે સોમનાથનાં “નિરાધારનો આધાર,, માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો.
ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબજ સારી સારવાર કરી અહીં તે 1 મહિનાં સુધી હતો.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા
તેને સોમનાથ થી ભુજ લઇ આવ્યા. અહીં પણ તે 15 દિવસો મહેમાન બન્યો. મહારાષ્ટ્ર પોલીસની મદદ લઇ નાશિક જીલ્લામાં તેનાં પરિવારને શોધી કઢાયો. સમાચાર પ્રાપ્ત થતાં જ ખાનદાન પરિવારે વિડીયો કોલ કરી
પોતાનાં પરિવારની વ્યક્તિની ખાત્રી કરી ભુજ આવવા રવાનાં થયા. તેનાં બે પુત્રો સચિન અને પ્રેમસાગર, ભાઇ રાજેન્દ્ર તથા તેનો ભત્રીજો ભુજ આવી પહોંચ્યા. 16-16 વર્ષ પછી પિતા-પુત્રો અને ભાઇ-ભાઇ તથા
પતિ-પત્નીનું મિલન થતાં દરેકની આંખોમાં અશ્રુનાં પુર વહ્યાં હતા. તેનાં પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને પત્ની-બે પુત્રો તથા પૌત્રો પણ છે. બંને પુત્રોનાં લગ્ન તેની ગેરહાજરીમાં થઇ ગયા. આજે સંજય 56 વર્ષનો થઇ
ચૂકયો છે. આમ 16 વર્ષ પછી પરિવારજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે. પરિવારજનોની ખુશી બેવડાઇ છે. ગામમાં પહોંચતા જ ગામવાસીઓ વિશાળ સંખ્યામાં તેનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. આખા ગામમાં
ખુશી છવાઇ હતી. ગામવાસીઓએ માનવજ્યોત સંસ્થા ભુજને ફોનથી આશીર્વાદ પાઠવ્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોશી, પ્રવિણ ભદ્રા સહભાગી બન્યા હતા.