ઉત્તરાંચલનો યુવાન બે વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

ઉત્તરાંચલ રાજ્યનો યુવાન દનીશઅલી ઉ.વ. 25 બે વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધી ચલાવી હતી. પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી.

આખરે તે રખડતો-ભટક્તો અનેક રાજ્યોનાં શહેરો અને ગામડાઓમાંથી થઇને સોમનાથનાં “નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ,, મધ્યે પહોંચ્યો હતો. સોમનાથ આશ્રમનાં સંચાલકોએ તેની ખૂબ જ સરભરા કરી સારવાર કરી.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મુસ્લિમ યુવાન દનીશઅલીને સાથે ભુજ તેડી આવી ઉત્તરાંચલ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતાં પરિવારજનોમાં ખુશી છવાઈ હતી, અને પરિવારના તેનાં ભાઇ અને કાકા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. બે વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે બે વર્ષ પછી તે પોતાનાં ઘરે સુધી પહોંચ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, ઉમરશી ધુલ્લા, દિલીપ લોડાયા, પ્રેમજીભાઇ, વાલજી કોલી સહભાગી બન્યા હતા.