માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી શ્રાદ્ધની કરી અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જુદા-જુદા પરિવારો શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી રહ્યા છે. આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તિર્થ ગોર અને જાણીતા ગોરમારાજદિપકભાઈ જોષી અહીં શ્રાદ્ધ ઉજવવા આવતા દરેક પરિવારોને શાસ્ત્રોક્તવિધિવિધાન કરાવે છે. 

સ્વ. રૂક્ષ્મણીબેન જટાશંકર સોની, સ્વ. વનીતાબેન કિશોરચંદ્ર સોની, સ્વ. દિનેશભાઈ નાનજી કતીરા, સ્વ. કુસુમબેન કાન્તીલાલ ચૌહાણ, સ્વ. કલાવંતીબેન બી. પંડ્યા, સ્વ. જ્યોતિષભાઈ ઋષિકાન્ત વોરા, સ્વ. યશ મુકેશ જોશી, સ્વ. જયશ્રીબેન હસમુખભાઈ જોષી, સ્વ. લક્ષ્મીબેન મોરારજી કેશરીયા, અનિ. ગોવિંદભાઈ નાથાભાઈ હીરાણી, સ્વ. નિર્મળાબેન શંભુભાઈ ઠક્કર, સ્વ. મણીલાલ ખેંગારદાસ ઠક્કર, સ્વ. કુંવરજીભાઈ નાનજી જાગાણીનાં આત્મશ્રેયાર્થ પરિવારજનોએ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. 

વિમળાબેન ભીમજી બારોટ, પુણેન્દ્ર માધવજી વેદાંત, ભક્તિ મહિલા મંડળ મીરઝાપર, નર્મદાબેન મનજીભાઈ ગામોટ, અરજણભાઈ શામજી શીયાણી, અબ્દુલભાઈ એસ. રાજાણી, કુંવરબેન શીવજી ગોંડરીયા, મંજુલાબેન માવજી હીરાણી, દિલીપસિંહનરેન્દ્રસિંહ જાડેજા, કુસુમબેન ભદ્રેશભાઈ શાહ, જેવતભાઈ જીવરાજ શાહ, ધવલ ભરતભાઈ ભટ્ટ, લક્ષ્મીબેન પ્રેમજી વરસાણી વિગેરે પરિવારોએવૃદ્ધોની ટીફીન સેવા તથાઅંકબાળકોને ભોજન કરાવવાનો લાભ લીધો હતો. 

વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદરાયસોની,દિપેશ શાહ, દીપેશ ભાટિયા, અક્ષય મોતા,પંકજકુરૂવા,દિલીપલોડાયા, મહેશભાઈ ઠક્કર, નવલબેન શાહ, મનીષ મારાજે સહકાર આપ્યો હતો.