કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપતારક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઇ

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ- શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી.

“સી,, ટીમ પોલીસ- ભુજ, કુકમા વણકર મહિલા ગ્રુપ-કુકમા, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, શ્રી સહકાર સેવા ટ્રસ્ટ-ભુજ, નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ, કચ્છ મહિલા વિકાસ સંગઠન-ભુજ, સખી સાહેલી ગ્રુપ મહિલા મંડળ-ભુજ ના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા.

કાર્યક્રમનાં માર્ગદર્શક અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એક્તા અને ભાઇચારાનો સંદેશો આપતા “રક્ષાબંધન,, પર્વનું મહત્વ સમજાવ્યું હતું. “સી,, ટીમનાં હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાયી, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન સાહુ રક્ષાબંધનના આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા.

હાથમાં દિપકની જ્યોત, ચોખા, રાખડી, કુમકુમ તિલક, મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એકી સાથે માનસિક દિવ્યાંગોને કાંડે ગોદાવરીબેન ઠક્કર, કમળાબેન વ્યાસ, જયાબેન મુનવર, મીનાબેન બોરીચા, હર્ષાબેન શાહ, કુલસુમબેન સમા, અનિતાબેન ઠાકુર, ભાવનાબેન વણકર, અમિતાબેન જૈન, ઇન્દુબેન ઠક્કર, નશીમબેન લોહાર, રાયમાબેન સમા, પ્રવિણાબા એચ. રાણા, સબનમબેન આલા, ખુશબુબેન સમા, ગુણવતીબેન મોતા, રીટાબેન મોતા, આરતી જોષી, રીતુબેન વર્માએ કુમકુમ તિલક કરી, ચોખા ચોડી, આરતી ઉતારી તેઓનાં હાથનાં કાંડે રક્ષાબાંધી, મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી. અને તેઓની આંખો આંસુથી ભીજાઈ ગઈ હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી.

શ્રી કબીર મંદિર-ભુજ તથા અમૃતબેન પ્રવિણભાઇ હીરાણી, શ્રી મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, સી.એમ. ઠક્કર તથા એક સદગૃહસ્થ દાતાશ્રીઓ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે, અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા. રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ. હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે. રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે. આપણે બધા એક છીએ. સર્વ ધર્મ સમાન છે.

કાર્યક્રમનું સંચાલન સહદેવસિંહ જાડેજાએ જયારે આભારવિધિ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મયુર બોરીચા, ભુપેન્દ્ર બાબરીયા, નિતિન ઠક્કર, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો.