પવિત્ર અધિક માસ નિમિત્તે વૃદ્ધોને વિશિષ્ટ ભોજન કરાવાયું

ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા મંજુલાબેન ઉપાધ્યાયનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત “શ્રવણ ટીફીન સેવા,, વાહન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ૧૦૦ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. 

ઘેરબેઠા મિષ્ટાન સાથેનું ભોજન જમી વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં સર્વે બહેનો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો.