માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી દાતાશ્રી અ.નિ. કલ્યાણભાઇ તેજાભાઈ હીરાણી સુખપર તથા અ.નિ. માતુશ્રી દેવબાઇ તથા સુપુત્રો નાનજીભાઇ, પ્રેમજીભાઈ, ધનજીભાઈ, મનજીભાઇ અરવિંદભાઇ અને સુરેશભાઇ દ્વારા રૂા. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, ગોવિંદભાઇ પાટીદાર તથા નરશીંભાઇ પટેલે દાતા પરિવારનો આભાર માન્યો હતો.