માનવજ્યોતને ૫૦ હજારનું અનુદાન અપાયું

ગીરીશભાઇ મણીભાઇ પટેલ તથા ઉમાબેન ગીરીશભાઇ પટેલ અમદાવાદ પરિવાર દ્વારા વાવાઝોડા, આફત ગ્રસ્ત લોકોનાં સેવાકાર્ય માટે ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૫૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાએ ઝુંપડા-મૂંગાઓમાં રહેતા પરિવારોને નાસ્તો તથા ભોજન પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય વાવાઝોડા સમય ખડે પગે રહીને કાર્યકરોની ટીમ સાથે કર્યું હતું.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા,આનંદ રાયસોનીએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.