“એ,, ડિવિઝન પી.આઇ. શ્રીએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

ભુજ શહેર “એ,, ડિવિઝન પી.આઇ. શ્રી એમ.આર. બારોટ સાહેબે કચ્છની માનવજ્યોત સંસ્થાની મુલાકાત લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર, મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા પ્રવૃત્તિઓમાં કેવો સહકાર મળે છે, પોલીસ તંત્ર દ્વારા થતી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, “પોલીસ પ્રજાનો મિત્ર છે,, એ ભાવથી થતું કામ પ્રશંનીય છે. અમારી સંસ્થા સાચું કામ લઇને પોલીસ સ્ટેશને જાય છે જેથી પોલીસ તંત્રનો પૂરેપૂરો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે છે. અને સંસ્થા પણ પોલીસ તંત્રને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સાથ સહકાર આપે છે. ગુમ થયેલા લોકોને શોધી આપવા, બિનવારસ લાસોની અંતિમક્રિયા, મળી આવેલા ગુમ બાળકો-યુવકો-યુવતીઓ-વૃદ્ધો-મહિલાઓ, તાજા જન્મેલા મળી આવેલા બાળકો, અકસ્માત વખતે કે આપઘાત વખતે લાસો ઉપાડવાનું કાર્ય વિગેરે કાર્યો માનવજ્યોત સંસ્થા કરે છે. જેમાં પોલીસ તંત્રનો પૂરો સાથ – સહકાર મળે છે.

પી.આઇ. શ્રી બારોટ સાહેબે નશીલા પદાર્થોની થતી હેરાફેરી અનેક વિધ ખોટા વ્યસનો સામે લોકોને જાગૃત કરવા સમજપૂરી પાડી હતી. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પોલીસ તંત્રનો સહકાર મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.

કનૈયાલાલ અબોટી, રફીક બાવા, નિતીન ઠક્કર, મુળજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, દિપેશ શાહ, આનંદ રાયસોની, ગુલાબ મોતા, ચમનલાલ જીવાણી, પંકજ કુરવા, સહિતનાં કાર્યકરો બેઠકમાં ઉપÂસ્થત રહ્યા હતા.