માનવજ્યોતને અનુદાન અપાયું

સ્વ. જવેરબેન જેરામભાઇ જોષી દહીંસરા હસ્તે ડો. શાસ્ત્રી જિતેન વસંતભાઇ જોષી ભુજ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્ય માટે રુ. 51 હજારનો ચેક અર્પણ કરાયો હતો.

અ.નિ. સામબાઇ કરશન ગોપાલ હાલાઇ સૂરજપર દ્વારા રુ. 25 હજારનો ચેક અર્પણ કરાયો હતો.

જીવદયા અને માનવસેવા પ્રેમી અને ખેડૂત એવા સવરાજભાઇ લખમણ ગઢવી (સાખરા) વડીવાડી ભુજપુર માનવજ્યોત સંસ્થાને વૃદ્ધોની ટીફીન સેવા માટે રુ. 1 લાખનું અનુદાન મળ્યું હતું.

સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવારોનો આભાર માન્યો હતો.