પિતા-પુત્રનું પાંચ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં બડવાની જીલ્લાનો યુવાન સુરેશ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ ચિંતા સેવી તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવતાં સંસ્થાનાં સંચાલક શ્રી જેરામભાઇ ભગત તથા તેમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સારવાર કરી હતી.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમના મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કાઢતાં પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા. તેના પિતા તથા ગામના સરપંચે તેનો કબ્જો લીધો હતો. પિતા-પુત્રનું પાંચ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આખરે સુરેશ 45 વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચતાં પરિવારમાં ખુશી છવાઇ છે. મિલન સમયે યુ.એસ.એ. સ્થિત અને બિદડા કેમ્પ સેવા આપવા આવેલા ડોકટર શ્રી શરતભાઇ કુંચીપુડી અને ડો. વિજયાબેન કુંચીપુડી, કિરણભાઇ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, આનંદ રાયસોની, પંકજ કુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.