માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, શ્ર્વાનોને રોટલા, જેવા જીવદયાનાં કાર્યો કરાયા હતા.
કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, શ્રી રામદેવપીર મંદિર હિલગાર્ડન રોડ, લક્ષ્મી મહિલા મંડળ-મીરઝાપર દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને રામબાઇ જાદવા વરસાણી-લંડન,પરબતભાઇ નારાણભાઇ માધાપરીયા યુ.કે. દ્વારા ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન અર્પણ કરવામાં આવેલ.
આઇયા નગર મહિલા મંડળ-માધાપર દ્વારા માનવજ્યોતને અનાજની વસ્તુઓ અર્પણ કરવામાં આવેલ.
પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી.