કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે જરુરતમંદોને ગરમ ધાબડા ઓઢાળાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે ખુલ્લામાં બેઠેલા અને સૂતેલા જરુરતમંદ લોકોને ગરમ ધાબડા ઓઢાળાયા હતા.

અક્ષરનિવાસી રાધાબાઇ રામજી લાધાણી, અક્ષરનિવાસી રામજી ઝીણાભાઇ લાધાણી હસ્તે લાધાણી પરિવાર-ઓસ્ટ્રેલીયા-કેરા દ્વારા તથા સંજયભાઇ જાટીયા, મયુરભાઇ જાટીયા મમુઆરા દ્વારા ધાબડા માનવજ્યોત સંસ્થાને મળેલ જે જરુરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.