જમ્મુ-કાશ્મીરનો ગુમ યુવાન ફરી ઘર સુધી પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરનાં હાપુલ વિસ્તારનો યુવાન મોન્ટુ ઉ.વ 30 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સર્વે કાર્યકરોની ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને સૂરતથી ભુજ લઇ આવી જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા.

પરિવારજનો અશિક્ષીત હતા જેથી તે જે દુકાને કામ કરતો હતો તેનાં શેઠ રાજેશકુમારે ભુજ આવીને તેનો કબ્જો લીધો હતો. તે ઘરે પહોંચતા પરિવારજનો ખુશખુશાલ બન્યા હતા. પરિવારજનોએ સૂરત અને ભુજની સંસ્થાનો ખાસ આભાર માન્યો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, દિલીપ લોડાયા, પંકજ કુરુવા સહભાગી બન્યા હતા.