યુવા ઉદ્યોગપતિ અને જાણીતા સમાજસેવક હરિભાઇ રાણાભાઇ ડાંગરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવેલ.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
શ્રી હરિભાઇ ડાંગરનાં આત્મશ્રેયાર્થે તેમનાં પરિવારજનો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ૧૦ દિવસ સુધી ભોજનીયા જમાડવામાં આવી રહ્યા છે.