માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણ શરુ કરાયું

શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા જરુરતમંદોને દાતાશ્રી ગોરીબેન મોહનલાલ મહેતા પરિવાર-વર્ધમાનનગર તથા રમાબેન શિરિષભાઇ મહેતા-અમેરીકાનાં સહયોગથી શરુ કરાયું છે. સંસ્થાની ટીમ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકો સુધી પહોંચી જઇ ધાબડા વિતરણ
કરવામાં આવી રહેલ છે.

છેલ્લા ચાર દિવસથી સવાર-સાંજ-ઠંડીમાં વધારો થતાં આ ઠંડીમાં જરુરતમંદ લોકોને ઓઢવા ગરમ ધાબડા મળી રહે તેવા ઉદેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરુ કરાયું છે. જેમ જેમ દાતાશ્રીઓનો સહયોગ મળશે. તેમ તેમ જરુરતમંદો સુધી ધાબડા પહોંચતા કરાશે.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી કનૈયાલાલ અબોટી, રફીક બાવા સંભાળી રહ્યા છે.