વરસાદી વાતાવરણ વચ્ચે જરૂરતમંદલોકોને રાશનકીટ તથા ભોજન પહોંચાડાયું

છેલ્લા 4 દિવસથી ભુજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોને રાશનકીટ તથા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા, ગોવિંદભાઇ પાટીદાર, નિતીન ઠક્કરે જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. ગરીબ પરિવારોએ સંસ્થાને આર્શિવાદ પાઠવ્યા હતા.