માનવજ્યોત દ્વારા મકરસક્રાંતિપર્વ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મકરસક્રાંતિપર્વની માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને ઉજવણી કરવામાં આવેલ. નવા વસ્ત્રોમાં સજજ માનસિક દિવ્યાંગોને દાતાશ્રી બાપા સીતારામ હોટેલ-માનકુવા, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, દેવજીભાઈ નાનજી ભવાણી-આણંદસર, પચાણગર પરસોતમગર ગુસાઇ-નાગોર, અ.નિ. લીલાવંતીબેન ત્રિકમજી સોનાઘેલા હ. નરેન્દ્રભાઈ મેઘજી સોનાઘેલા-ભુજ, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. દિવસભર વિવિધ દાતાશ્રીઓ દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને જુદી-જુદી ખાવા-પીવા-પહેરવા-ઓઢવાની વસ્તુઓ અર્પણ કરાઇ હતી.


એકલા-અટુલા-નિરાધાર વડીલોને દાતાશ્રી સ્વ. જટુભા દાદા-વરલી પરિવાર તથા કલ્યાણભાઈ મેઘજી હાલાઇ મીરઝાપર પરિવારોનાં સહયોગથી ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન ઘેર-બેઠા પહોંચાડવામાં આવેલ. વિધિબેન રાજગોર દ્વારા બાળશ્રમયોગીઓને અલ્પાહાર આપવામાં આવેલ. શ્રી ભાનુશાલી મહાજન માધાપરનાં સર્વે કાર્યકરોએ આશ્રમાં આશ્રિતોને જરૂરી વસ્તુઓ અર્પણ કરી હતી.


માનવજ્યોત સંસ્થા દ્વારા ગાયમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ તથા કીડીયોને કીડીયારૂં આપવામાં આવેલ. તેમજ ભૂખ્યાને ભોજન આપવામાં આવેલ.


સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, હીરાચંદ નાગડા, દિલીપ લોડાયા, ઉમરશીં ધુલ્લા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.