નાના નખત્રાણામાં પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજાયો

નાના નખત્રાણા ગામે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણની જાગૃતિરૂપે પર્યાવરણ બચાવો… પક્ષીઓ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે કુંડા-ચકલીઘરનું મહત્વ સમજાવતાં જીવદયાનાં આ કાર્યમાં સૌને જોડાવવા અપીલ કરી હતી. આ અવસરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજ પૂરી પાડવામાં આવેલ.

વ્યવસ્થા આનંદ રાયસોની, હિતેશ ગોસ્વામી, અમૃત ડાભી, અંકિતાબેન ગુસાઇ, હિરૂબેન બડિયા, દેવીબેન રબારી તથા રામીબેન બડિયાએ સંભાળી હતી.