આંધ્રપ્રદેશનાં યુવાન અને મહિલાને ઘર શોધી અપાયા બંને અઢી-અઢી વર્ષ પછી ઘરે પહોંચ્યા

આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાનો યુવાન ચીઠી પ્રસાદી રામારેડી ઉ.વ. ૨૭ તથા મહિલા વીરેસમા ઉ.વ. ૫૦ અચાનક ગુમ થતાં બંનેનાં પરિવારજનોએ ખૂબ જ ચિંતાસેવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ યુવાન મુંબઇ-ભુજ ટ્રેનમાં ગાંધીધામ પહોંચ્યો હતો. ગાંધીધામથી તેને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર ટ્રેનમાં બેસાડી ભુજ લઇ આવેલ, અને રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાવી, જયારે મહિલા રખડતી-ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનાં આશ્રમે પહોંચી હતી. જ્યાંથી માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવેલ. આંધ્રપ્રદેશની પોલીસનો સંપર્ક કરી બંનેનું ઘર શોધવાના પ્રયત્નોમાં સંસ્થાને સફળતા મળી હતી. બંને અઢી અઢી વર્ષથી ગુમ હતા.

મહિલા વીરેસમાને તેડવા તેનો ભાઇ ભુજ આવી પહોંચ્યો હતો. જયારે યુવાનનાં પરિવારની આર્થિક પરિસ્થિતિ એકદમ નબળી હોતા પરિવારજનો પાસે ટીકીટ ભાડા માટે પણ પૈસા નહતા. જેથી કુરનુલ જીલ્લાનાં આજ પરિવાર સાથે યુવાનને પણ પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો, યુવાનનાં પિતા અડધી રાતે પોતાનાં પુત્રને ઉતારવા આંધ્રપ્રદેશનાં કુરનુલ રેલ્વે સ્ટેશન પહોંચ્યા તા. પિતા પુત્ર અને ભાઇ-બહેનનું અઢી વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આમ આંધપ્રદેશનાં એક જ જીલ્લાના ગુમ યુવાન અને મહિલાને ઘર સુધી પહોંચાડવામાં માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની માવજીભાઇ આહિર, પંકજ કુરૂવા તથા સામાજીક કાર્યકરો મનીષા સોલંકી, ધર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી મિતલ પરમાર સહભાગી બન્યા હતા.