માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢી બીજની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ખીમજીભાઇ લધાભાઇ મહેશ્વરી ફુટવેર દેશલપર વાંઢાય દ્વારા ઝુંપડા અને ભૂંગામાં રહેતા ૫૦૦ ગરીબોને શીરો તથા ખારીભાતનું ભોજન જમાડવામાં આવેલ. ભુજનાં વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબો ભોજન જમી અષાઢીબીજની ઉજવણીમાં જોડાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, અક્ષય મોતા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, સલીમ લોટા, ઇરફાન લાખા, કિશોરસિંહ વી. જાડેજાએ સંભાળી હતી.