ભુજ શહેર પુનિતવન નજીક આવેલ સિલ્વર પાર્કનાં શ્રી જલારામ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર- કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે મહેમાનોનું સ્વાગત શ્રી મહેશભાઇ ઠક્કરે કર્યું હતું.
પ્રબોધ મનુવરે માનવજ્યોતની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્દેશ સાથે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ સિવિલ સર્જન ડો. કશ્યમભાઇ બુચ, સામાજીક કાર્યકર મનસુખભાઇ નાગડા, એડવોકેટ પંકજભાઇ વૈષ્ણવ, કનૈયાલાલ અબોટી, કલ્પનાબેન ચોથાણી તથા આગેવાનોના વરદ્ હસ્તે કરવામાં આવેલ.
દોઢ વર્ષ પહેલા આ મંદિરની પ્રતિષ્ઠા થયેલ, ત્યારથી દર ગુરૂવારે જલારામ બાપાની ખીચડીનો પ્રસાદ યોજાતો રહે છે. જેનો લાભદર્શનાર્થીઓ લેતા રહે છે. તેવું પ્રમુખ મહેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું.