માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ જગશી છેડાની પ્રથમ પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને પરિવારજનો તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા થાળી વાટકા-ગ્લારાના પચ્ચીસ સેટ અર્પણ કરાયા હતા. શ્રી તારાચંદભાઇની પુણ્યતિથિએ માનસિક દિવ્યાંગોને નવા થાળી સેટમાં ભોજન કરાવાતાં માનસિકદિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજા એ તેઓની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.

