ચૈત્રી આઠમ દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ સ્થળોએ મહાપ્રસાદ યોજાયો હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાને આપી દેવામાં આવેલ. સંસ્થાએ આ પ્રસાદ ગરીબોનાં પડે-ઝૂંપડે પહોંચાડતાં છ હજારથી વધુ જરૂરતમંદ ગરીબી ભરપેટ જમ્યા હતા.
ઉમિયા માતાજી મંદિર- વાંઢાય, કાળીતળાવડી-પહર, રતનાલ, વરલી, સુમરાસર, માધાપર, ભુજની સમાજવાડીઓમાં થીજાવેલ મહાપ્રસાદની વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થાએ ભૂંગા ઝુંપડાઓમાં જઇને વિતરણ કરી હતી. ગરીબોએ પણ આઠમનો મહાપ્રસાદ માણ્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, જયેશ લોડાયા, અક્ષય મોના, પ્રતાપ ઠક્કર, દીપેશ બાટિયા, રફીક બાવા, મિલન બારોટ, રાજ જોગી, રસીક બેગી, ઇરફાન શાખા, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.