નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, જી.કે.જનરલ હોસ્પીટલ હોમિયોપેથીક વિભાગ, કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા, સરકારી હોમિયોપેથીક દવાખાનું, માનવજ્યોત તથા ભીડ પંચાયતી પ્રાથમિક શાળાના ઉપક્રમે યોગ શિબિરનું આયોજન ભીડ ચોક શાળા નં. ૩ મધ્યે કરવામાં આવેલ.
ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રિયંકાબેન ચૌધરીએ બાળકોને યોગ અંગેની સમજ પૂરી પાડી યોગા કરાવેલ. દરરોજ યોગા કરવાથી શરીર રોગ મુક્ત રહે છે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, નિતીનભાઇ ઠક્કર, ઇલાબેન વૈષ્ણવ, ભીડ પ્રા. શાળાનાં આચાર્યા આશાબેન ઠક્કર, વસંતભાઇ ગોર, શિક્ષીકાબેનો, બાળકોએ સાથે મળી યોગા કર્યા હતા. સંચાલન શિક્ષીકા તારાબેન ગોરે કરેલ. સમગ્ર વ્યવસ્થા શાળા પરિવારે સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ ભગવતી વિદ્યાધામનાં બાળશ્રમયોગીઓ, જયનગર બાલ મંદિરનાં ભુલકાઓ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાનાં માનસિક દિવ્યાંગો પણ યોગામાં જોડાયા હતા. બિંદીયાબેન પંડ્યા, શ્રદ્ધાબેન ગોર, રીતુબેન વર્માએ વ્યવસ્થા સંભાળી હતી.