માનવજ્યોત દ્વારા હેલ્થ સેમિનાર યોજાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા, મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં હેલ્થ સેમિનાર એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં વિસનગરથી પધારેલા સચિન પટેલ અને નિશા હડોલાએ દરેક પ્રકારનાં રોગો સામે આયુર્વેદિક ઉપચારની સુંદર માહિતી પૂરી પાડી હતી. આજના યુગમાં આયુર્વેદિક દવા-ગોળીઓનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મોટા રોગો સામે પણ આયુર્વેદિક દવાઓ રામબાણ ઇલાજ સાબિત થઇ છે. અને રોગોને જડમૂળથી નેસ્ત-નાબૂદ કરવા મહત્વનો ભાગ ભજવ્યો છે. “વેસ્ટીજ,, લોકોને રોગોમાંથી બચાવવા અનેક પરિવારોમાં અને ઘર-ઘર સુધી પહોંચી છે. મોટા-મોટા રોગોમાંથી બચવા તેમજ રોગોનો પ્રતિકાર કરવા આયુર્વેદિક અતિ ઉપયોગી સાબિત થયું છે. મહિલાઓની અનેકવિધ સમસ્યાઓનાં ઉકેલ સાથે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવેલ. પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, જયાબેન મુનવર, કલ્પનાબેન ચોથાણી, અનિતાબેન ઠાકુર, માલાબેન જોષી, ગીતાબેન ઝવેરી, દિપાલી સાયલા, ઉન્નતિ ખોના, લીલાવંતીબેન છેડાએ વ્યવસ્થા સંભાળી હતી. આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ.