અગ્યારસ – બારસ – પુણ્યતિથિ – માસિકતિથિ નિમિતે અનેક પરિવારોએ કર્યું પુન્યનું કાર્ય

કોરોના મહામારી સંકટ અને વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ અનેક પરિવારોએ પોતાનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં આત્માશ્રેયાર્થે અગ્યારસ, બારસ, પુણ્યતિથિ, માસિક તિથિ નિમિતે માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી સ્વજનોને અંતરથી ભાવાંજલિ અર્પી હતી.

સ્વ. મંજુલાબેન કનૈયાલાલ અબોટી – ભુજ, સ્વ. નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા – કેરા, સ્વ. દક્ષાબા દહિવતસિંહ જાડેજા – ભુજ, સ્વ. દુર્લભરાય મણીલાલ અબોટી – કોઠારા, સ્વ. રમણિકલાલ નરભેરામ રાવલ – ભુજ, સ્વ. જીતેન્દ્રરાય હરિશંકર પાલીવાડ – ભુજ, સ્વ. દુષ્યંત હરિપ્રસાદ ઠક્કર – ભુજ, સ્વ. વનીતાબેન પ્રવિણચંદ્ર સલાટ, સ્વ. શશિકાન્ત મોહનલાલ ઠક્કર – માધાપર, સ્વ. ભાવિકાબા અર્જુનસિંહ ઝાલા – રામાણીયા, સ્વ. વીરબાઇ કુરજી ખેતાણી – સુખપર, સ્વ. બલભદ્રસિંહ અજીતસિંહ રાણા – ભુજ, સ્વ. રતનજી હીરજી હીરાણી – માધાપર, સ્વ. રીપલ નિકેન બુદ્ધભટ્ટી, સ્વ. શૈલેષ જીગજીવન સોની – ભુજ, સ્વ. મહેન્દ્રભાઇ કરશનજી શેઠ – સામત્રા, સ્વ. સોની ઇશ્વરલાલ નરભેરામ – ભુજ, સ્વ. રમેશચંદ્ર ચંદુલાલ શાહ – ભુજ, સ્વ. રાજેશ શાંતીલાલ દોશી – અંજાર, સ્વ. ગિરીશભાઇ વિશનજી અબોટી – અંજાર, સ્વ. મહેન્દ્રભાઇ કાનજી સચદે – ભુજ, સ્વ. વિશ્રામભાઇ મુરજીભાઇ હીરાણી – સુરજપર, સ્વ. જયસિંહ હરીદાસ આશર – ભુજ, સ્વ. માલિનીબેન વિપુલભાઇ વૈદ્ય – ભુજ પરિવારોએ પોતાનાં સ્વર્ગસ્થ સ્વજનોનોનાં આત્માની શાંતિ અર્થ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા પણ આ પરિવારોએ આશ્રમસ્થળે નાખી જીવદયાનું અતિ ઉત્તમકાર્ય કર્યું હતું.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુરજીભાઇ ઠક્કર, આનંદ રાયસોનીએ પુણ્યનાં કાર્યને બિરદાવી પરિવારોનો આભાર માન્યો હતો.