કોરોનાં મહામારી સંકટ, લોકડાઉન, અનલોક, કરફયુ, ઉદ્યોગ, ધંધા બંધ, રોજગાર બંધ, ઓફિસ, દુકાનો બંધ, હોટલો, રેસ્ટોરેન્ટ બંધ, આવી પરિસ્થિતિમાં અનેક પરિવારોએ પોતાનાં બાળકોનાં જન્મદિવસની ઉજવણીનો વિચાર બદલ્યો છે. હરવા ફરવાનાં મોજ-શોખનાં ખાવા-પીવાનાં અનેક મોંઘા દોટ ખર્ચા ઉપર કોરોનાં કાળમાં કાબૂ મેળવી પરિવારનાં સભ્યનાં જન્મદિવસને સાર્થક બનાવી સમાજને નવો માર્ગ ચિંધ્યો છે. અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
અનેક પરિવારો પોતાનાં સંતાનોનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા – કચ્છ મધ્યે જઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી જન્મદિને પુણ્યનું ભાથું બાંધી જન્મદિન ઉજવણીને સાર્થક બનાવતા રહે છે.
વર્ષાબેન મુકેશભાઇ ધોળુ – ભુજ, સોમ્ય લોકેશ જૈન – કોઠારા, આનંદ રવજીભાઇ હાલાઇ – કુંદનપુર, વિશ્રામભાઇ મુરજી હીરાણી – સૂરજપર, કૃનાલ હીરાણી – માધાપર, યામિન પ્રતિક પટ્ટણી – ભુજ, વિધી જીગ્નેભાઇ બજરીયા – મુન્દ્રાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા – કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ દાખલો પૂરો પાડયો હતો. અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
સંસ્થા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજાએ નવી ઉજવણીમાં જોડાનાર દરેક પરિવારોનો આભાર માન્યો હતો.