ગુમથયેલા યુવાનને શોધી કાું. સુધી પહોંચતો કરાયો

મુન્દ્રા પોલીસને શાંતિવન અદાણી સ્કુલ પાસેથી એક માનસિક અસ્થિર જણાતો યુવાન મળી આવતાં જનસેવા સંસ્થાનાં રાજ સંઘવી મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી મોકલવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ તેની પાસેથી મળેલી માહિતિનાં આધારે જે કાું. માં કામકરતો હતો એ કાું. નો સંપર્ક કરી એમ્પ્લોયર કોડ નંબર આપી આ યુવાન કોણ છે… કયાંનો છે તેની માહિતી મેળવવામાં આવેલ.

મુન્દ્રા સ્થિત કાું. એ આ યુવાન ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢનો હોવાનું તથા સમાઘોઘા એક કાું. માં કામકરતો હોવાની માહિતી માનવજ્યોત ભુજને પૂરી પાડી હતી. જેનાં આધારે સંસ્થાએ સમાઘોઘા સ્થિત કાું. નો સંપર્ક કરી આ યુવાન ભુજ માનવજ્યોતમાં હોવાની જાણકારી આપી હતી. જેનાં આધારે કાું. માં કામકરતાં યુ.પી. નાં તેના ગામનાં રહેવાસીઓ ભુજ આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યેથી આ યુવાનનો કબજો લઇ ખુશી વ્યક્ત કરી હતી.

માનવતાનાં આ કાર્યમાં મુન્દ્રા પોલીસ, જનસેવા સંસ્થા મુન્દ્રા, માનવજ્યોતનાં આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.