૩૦૦ લોકોને ફળ-ફ્રૂટ વિતરણ કરાયા

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી આદિનાથ મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છના સહયોગથી ૩૦૦ લોકોને સકરટેટી તથા કલીંગરનું વિતરણ કરવામાં આવેલ. 

વર્ધમાનનગર નોર્થનાં શ્રી આદિનાથ મહિલા મંડળનાં બહેનોએ વહેલી સવારે ઉઠી સકરટેટી તથા કલીંગરને સમારી ફળ-ફુટ તૈયાર કરી આપેલ. લોકોને કાગળની ડીસોમાં આ ફળ-ફુટ ચમચી સાથે આપવામાં આવેલ. અનેક લોકોનો ઠારાનિ ઠર્યા હતા. 

આ સેવા કાર્યમાં ભાવિકાબેન ગાંધી, દિપ્તીબેન વોરા, જીજ્ઞા લોડાયા, સંગીતા મહેતા, જોશના ધરમશી, દિવ્યા મસાલીયા જોડાયા હતા. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, પંકજ કુરૂવા, દિપેશ શાહ થા રાજુ જોગીએ સંભાળી હતી.