રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકોને હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરાયું

કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તથા હોમિયોપેથી મેડીકલ ઓફિસર વર્ગ-૩ ના ડો. પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ. ૩ હજાર લોકોને હોમિયોપેથીક ગોળીઓનાં પેકેટ વિતરણ કરી સમજ પૂરી પાડવામાં આવેલ. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ઇલાબેન વૈષ્ણવ, આરતી જોષીએ સંભાળી હતી.