વર્ધમાનનગરમાં સાધર્મિક ભક્તિ કરી અનોખું પ્રેરણા રૂપ કાર્ય કરાયું

ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણની ઉજવણી નિમિત્તે, થોડું આપીને ઘણું બધું પુણ્ય કમાવાની તક જેવી સાધર્મિક ભક્તિનું આયોજન શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા પૂ. દેશનાબાઈ મહાસતીજી તથા પૂ.યતનાબાઇ મહાસતીજીની શુભપાવન નિશ્રામાં કરવામાં આવેલ. 

જૈન શાસનના સુકાની એવા આપણા બાળકોમાં સેવા અને ભક્તિના ગુણો ખીલે અને એમનાં સમય ને શક્તિનો સદુપયોગ થાય એવા હેતુ સાથે વર્ધમાનનગરમાં રહેતી સંઘની યુવતીઓએ ઘરે ઘરે જઈ પસ્તી તથા ચોખા એકઠા કર્યા હતા. એકઠા થયેલા ચોખા માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારાનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે શ્રી પ્રબોધ મુનવરને અર્પણ કરાયા હતા. જયારે પસ્તી વેંચાણથી થયેલ ઉપજમાંથી સાધર્મિક ભક્તિ કરાઈ હતી. આમ સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.