કોરોના સંકટમાં દાતાશ્રીઓ તથા અનેકવિધ પરિવારોએ પોતાની પ્રવૃત્તિઓમાં બદલાવ લાવી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવાની સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. અત્યારે સમય છે. માનવી-માનવીને મદદરૂપ બને અને સેવા જરૂરતમંદો સુધી પહોંચે.
ભુજ તાલુકાનાં દહીંસરા ગામનાં પ્રિતિબેન રમેશ ખીમાણીએ દહીંસરામાં પોતાનાં ઘરે રસોઈ તૈયાર કરી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. ભુજ શહેરનાં નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કોલીવાસનાં રંક બાળકોને ભાવતા ભોજનીયા પીરસી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
માંડવી તાલુકાનાં દુર્ગાપુર-નવાવાસ ગામનાં વસંતભાઈ નરશી સુતારે મિષ્ટાન-ફરસાણનાં પેકેટો તૈયાર કરી માનવજ્યોત સંચાલિત રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તથા કોલીવાસનાં બાળશ્રમયોગીઓને આપી અધિક માસની આરાધના કરી હતી.
માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, પરેશ માહેશ્વરી, દિપેશ શાહે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.