કોરોના વાયરસ સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી, લોકોને મદદરૂપ થવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રાષ્ટ્રીય સેવા ભારતી ન્યુ દિલ્હી દ્વારા એક પ્રમાણપત્ર અર્પણ કરી સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
કોરોના વાયરસથી પેદા થયેલી પરિસ્થિતિમાં શરૂઆતથી અત્યાર સુધી જરૂરતમંદ લોકોની વિવિધ પ્રકારે સેવાઓ કરી સંસ્થાએ સેવાની જ્યોત સતત જલતી રાખી છે. કોરોના નાં વધતા જતા દર્દીઓ અને કચ્છમાં અનેક વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપભેર ગામો અને શહેરોમાં પહોંચ્યું છે, ત્યારે સંસ્થાએ વિવિધ પ્રકારે જરૂરતમંદ લોકોની સેવાઓ કરી છે. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, સુરેશભાઈ મહેશ્વરી, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીકબાવા, આનંદરાય સોની,દિપેશ શાહ તથા સમગ્ર ટીમ જુદા-જુદા વિસ્તારોમાં જઈ સેવા કાર્યો કરી રહ્યા છે.