માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિક માસ (પુરૂષોત્તમ માસ) નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે.
અધિક માસ દરમ્યાન રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોનાં આશ્રય સ્થાન શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પરિવારો દ્વારા ભોજન કરાવાશે.
માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને અલ્પાહાર, રંક બાળકોને ભોજન, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, તેમજ કીડીઓનું કીડીયારો પૂરી માનવસેવા અને જીવદયાના કાર્યો કરાશે.
માનવજ્યોત દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે દાન-પુન્યનો મહિમા સમજાવવામાં આવશે. આ કાર્યોનો લાભ લેવા ઈચ્છતા પરિવારોએ માનવજ્યોત કાર્યાલય ભુજ મો.૯૯૧૩૦૨૯૮૦૦ અથવા મો. ૯૮૭૯૮પ૩પપપ નો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ જણાવ્યું છે.